જાણવા જેવું

જો તમે ગુજરાતી હોય તો ખાસ આ જરૂર.........................

વાંચજો ગુજરાત અને ગુજરાતીઓ ની ખાસીયતો....!!
૧. ગુજરાત એક માત્ર એવો પ્રદેશ છે જેણે દુનીયા ને બે રાષ્ટ્રપિતા આપ્યા.
   ગાંધિજી અને મહમદ અલી ઝીણા.
૨. દેશ ના ટોપ ૨૫ અમીરો મા દશ ગુજરાતી છે.
૩. શુન્ય માથી સર્જન કરનારા ધિરુભાઇ અંબાણી ગુજરાતી છે.
૪. અઝીમ પ્રેમજી, રતન ટાટા, મુકેશ અંબાણી, અનીલ અંબાણી અને એવા 
     અસંખ્ય ગુજરાતી ઓ દેશ ના ઉધ્યોગો ને રોશન કરે છે.
૫.  ગાંધીનગર આખો એશીયા નુ એક માત્ર ગ્રીનેસ્ટ કેપીટલ છે.
૬.  સુરત દેશ નુ ફાસ્ટેટ ગ્રોઇન્ગ સીટી છે.
૭.  રંગીલુ શહેર રાજકોટ,
૮.  જોગી અને સંતો ની ભુમી એટલે જુનાગઢ.
૯.  સાહીત્ય નુ સેન્ટર પોઇન્ટ એવુ ભાવનગર.
૧૦.ગુજરાત નુ દરેક શહેર કોઇ ને કોઇ વાત માટે પ્રખ્યાત છે.
૧૧. દુનીયા ના ૮૦% હિરા સુરત મા પોલિશ થાય છે.
૧૨. દેશ ના માત્ર ૬% વિસ્તાર મા વશેલા અને દેશ નિ વસ્તી નો માત્ર  ૫%   
      ભાગ છે છતા દેશ ના શેરબજાર મા ૩૦% ભાગ ધરાવે છે.
૧૩. દેશ ના નિકાશ મા ૧૬% ફાળો ગુજરાત નો છે.
૧૪.વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી જામનગર (ગુજરાત) મા છે.
૧૫.એશિયા નુ સૌથી મોટુ શિપ બ્રેકીંગ યાર્ડ પણ ગુજરાત (ભાવનગર પાસે 
     અલંગ) મા  છે.
૧૬.એશિયાટીક લાયન એક માત્ર ગુજરાત (સાસણ ગીર) મા છે.
૧૭. ઝાયડસ કેડીલા, એલેમ્બિક, ટોરેન્ટ, સન ફાર્મા સહિત નિ દેશ ની ૪૦%             ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત મા છે.
૧૮. દેશ મા સૌથી લાંબો દરિયા કાંઠો ગુજરાત નો છે.
૧૯. દેશ મા સૌથી વધુ એઇર પોર્ટ ગુજરાત મા છે.
૨૦. વિશ્વ મા જીન્સ નુ સૌથી વધુ ઉત્પાદન કરતી બિજા નંબર ની મિલ ગુજરાત 
      મા છે.
૨૧. વિશ્વ ની ટોપ મિલ્ક બ્રાંડ અમુલ પણ ગુજરાત ની છે.
૨૨. વિશ્વ નો એક પણ ખુણો એવો નથી જ્યા ગુજરતી વશ્યો નહિ હોય…
૨૩. આવકાર એ આપણો સૌથી શ્રેસ્ઠ સદગુણ છે.
૨૪. આપણે વેપારી પ્રજા છીએ…
૨૫. લડવુ આપણ ને ગમતુ નથી, આપણે તો ‘જીવો અને જીવવા દ્યો’ મા 
      માનીએ છીએ.અને
એવી તો બિજી ઘણી ખાસિયતો છે…..
“જય જય ગુજરાત, ગરવી ગુજરાત

...............................................................

જીવનના સાત પગલા

1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.

(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે,જે ડૂબી શક્યો તે તરિયો છે.
(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.
(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે,
લૂટાઇ જવાની ખ્વાહિશ છે.
(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.
(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.
(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,
સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે...

.............................................................

સમજવા જેવું

મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલોનું હોય છે અને

જયારે મૃત્યુ પામે છે ત્યારે અગ્નિસંસ્કાર બાદ તેની રાખનું વજન
પણ અઢી કિલો જ હોય છે...
જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝબલું, જેમાં ખિસ્સું ન હોય,
વળી જિંદગીનું છેલ્લું કપડું કફન જેમાં પણ ખિસ્સું ન હોય...
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધી
શા માટે ? આટલા દગા અને પ્રપંચ શા માટે ?
.........................................................

કબૂતરની ઝડપ કેટલી ?



કબૂતર એટલે કબૂતર.પ્રેમની નિશાની.શાંતિની નિશાની.ખાસ દિવસોએ જેમ કે સ્વતંત્રતા દિવસ કે એવા જ દિવસોએ  સફેદ કબૂતરને આકાશમાં છોડવામાં આવે છે.એક ચેનલ પર મેં જોયું હતું.એક માફિયા નેતા જેલમાં હતા.તેમના ઉપર હજુ સુધી આરોપ સાબિત થયા ન હતા.તેઓ જેલમાં રહી ચુંટણી જીત્યા હતા.સરકાર બનાવવામાં તેમના મતની જરૂર પડી.આ માફિયા નેતાએ સરકાર બચાવી.અને સરકારે આ માફિયા નેતાને.હા,આ નેતા જયારે જેલમાંથી મુક્ત થયા ત્યારે સફેદ કબૂતર છોડવામાં આવ્યા હતા.આ કબૂતરને કોઇતો પકડતું હશે ત્યારે આ નેતાઓ તેમને મુક્ત કરેને...!
મને ક્યાંકથી ફોટો મળ્યો.સફેદ કબૂતરનો.મેં ફેઈસબુકમાં શેર કર્યો.થોડી કોમેન્ટ આવી. કબૂતર જા..જા...જા... કબૂતર જા..જા...જા...જેવા પ્રસિદ્ધ ગીત થી લઇ સ્વીટ...જેવી સ્વીટ કોમેન્ટ ઉપરાંત પંખી બની ઉડી જઈએ જેવા બાળ ગીત સુધીની વાત મળી.મને આ બધી જ કોમેન્ટ ગમી.બપોર થતામાં ફોન આવ્યો.ફોન મોરબીથી હતો.પ્રશ્ન હતો...’ભાઈ,આવડું આ કબૂતર કેટલુંક ઝડપી ઊડે?’સરસ ફોટાની બધી જ કોમેન્ટ અને ફોન પણ ગમ્યો.તેનો જવાબ પણ આપું છું.

કબૂતર એક કલાકમાં સરેરાશ ૪૦ કિલોમીટર ઉડી શકે છે.આ ઝડપથી તે સતત ઉડીને ૫૦૦ થી ૭૦૦ કિલોમીટર અંતર કાપી શકે છે.એક જમાનામાં કબૂતરનો  ઉપયોગ સંદેશાની આપલે માટે થતો હતો.આવા અનેક ઐતિહાસિક તથ્યો પણ છે.અબૂતારોની બધી જ જાતમાં આ ગુણ સામાન્ય છે.દુનિયાના અનેક દેશમાં રમાય છે.એવી અનેક રમતો જેનો આપણાં દેશમાં પ્રતિબંધ છે.પ્રાણી પક્ષીની રમતો ગુહ્નો બને છે.હા,કેટલાક દેશમાં હાલ પણ કબૂતરોની રેસનું આયોજન થાય છે.આ રેસની ખૂબ જ ધામધુમથી જાહેરાત થાય છે.અનેક સ્પર્ધકો આ રેસમાં જોડાય છે.અહીં બધાં જ સ્પર્ધક કબૂતરને બે દિવસ રાખવામાં આવે છે.અહીંના રોકાણ પછી આ કબૂતરોને  ટોપલીઓમાં ૫૦૦ થી  ૭૦૦ કિલોમીટર દૂર લઇ જવાય છે.ત્યાંથી તે પહેલી જૂની  જગ્યાએ પરત આવે છે.આ રેસમાં પહેલાં પરત ફરનાર કબુતરના માલિકને ઇનામ મળે છે.એક નોખું ગૌરવ મળે છે.આવી રમતો અને તેનું આયોજન પણ એક પ્રકારના જીવનની ઓળખ આપી જાય છે.
.............................................................................................

પ્રથમ ભારતીય મહિલાઓ

પ્રથમ મહિલા શાસક  -  રઝીયા સુલતાના (૧૨૩૬)
પ્રથમ મહિલા યુદ્ધમાં લડનાર  -  રાની લક્ષ્મીબાઈ (૧૮૫૭) 
પ્રથમ મહિલા સ્નાતક   -  વિદ્યાગૌરી(ગુજરાત) (૧૯૦૪)
પ્રથમ મહિલા રાજ્ય પ્રધાન  -  વિજયા લક્ષ્મી પંડિત   (૧૯૩૭) 
પ્રથમ મહિલા લશ્કરી અધિકારી  -  નીલા કૌશિક પંડિત 
પ્રથમ મહિલા સ્ટંટક્વીન  - નાદિયા  (૧૯૪૫) 
પ્રથમ મહિલા રાજ્યપાલ    -   સરોજીની નાયડુ (૧૯૪૭)
પ્રથમ મહિલા કેન્દ્રીય પ્રધાન   -  રાજકુમારી અમૃત કૌર   (૧૯૫૨)
પ્રથમ મહિલા સંયુક્ત.રાષ્ટ્રીય.સંઘ સામાન્ય. સભાના પ્રમુખ  -  વિજયા લક્ષ્મી પંડિત (૧૯૫૩) 
પ્રથમ મહિલા ઈંગ્લીશ ખાડી તરનાર  -  આરતી સહા (૧૯૫૯)
પ્રથમ મહિલા વિશ્વ સુંદરી   -  રીતા ફરીયા (૧૯૬૨)
પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન  -  સુચિતા કૃપલાની   (૧૯૬૩)
પ્રથમ મહિલાવડાપ્રધાન   -  ઇન્દીરા ગાંધી   (૧૯૬૬)
પ્રથમ મહિલા દાદા સાહેબ ફાળકે અવાર્ડ   -  દેવિકારાની શેરકી  (૧૯૬૯)
પ્રથમ મહિલા નોબેલ પારિતોષિક  -  મધર ટેરેસા  (૧૯૭૯)
પ્રથમ મહિલા એવરેસ્ટ વિજેતા  -  બચેન્દ્રી પાલ (૧૯૮૪)
પ્રથમ મહિલા સાહિત્ય અકાદમી  -  કુંદનિકા કાપડિયા (૧૯૮૫)
પ્રથમ મહિલા ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટ મીર  -  સાહેબ ફાતિમાબીબી (૧૯૮૯)
પ્રથમ મહિલા આઈ.પી.એસ.   -  કિરણ બેદી  (૧૯૭૨)
પ્રથમ મહિલા વિશ્વ ગુર્જરી એવોર્ડ  -  આશા પારેખ (૧૯૯૦)
પ્રથમ મહિલા બેરિસ્ટર  - કર્નેલીયા સોરાબજી  (૧૯૯૦)
પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર  - હોમાઈ વ્યારાવાલા 
પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ (હિમાચલ પ્રદેશ)  - લીલા શેઠ  (૧૯૯૧)
પ્રથમ મહિલા રેલ્વે ડ્રાઈવર  - સુરેખા યાદવ  (૧૯૯૨)
પ્રથમ મહિલા બસ ડ્રાઈવર   - વસંથકુમારી (૧૯૯૨)
પ્રથમ મહિલા સ્ટોક એક્ષ્ચન્જ પ્રમુખ  - ઓમાના અબ્રાહમ  (૧૯૯૨)
પ્રથમ મહિલા પાયલટ  - દુર્બા બેનરજી (૧૯૯૩)
પ્રથમ મહિલારેલ્વે સ્ટેશન માસ્તર  - રીન્કુસીન્હા રોય  (૧૯૯૪)
પ્રથમ મહિલા ફ્રેંચ ઓપન બેડમિન્ટન વિજેતા  - અપર્ણા પોપટ (૧૯૯૪) 
પ્રથમ મહિલા મિસ યુનિવર્સ   -  સુસ્મિતા સેન (૧૯૯૪)
પ્રથમ મહિલા પ્રાણી મિત્ર એવોર્ડ  - મેનકા ગાંધી (૧૯૯૬)
પ્રથમ મહિલા અવકાશ યાત્રી   -   કલ્પના ચાવલા (૧૯૯૭)
પ્રથમ મહિલા ઓલમ્પિકમાં ચંદ્રક વિજેતા  - મલ્લેશ્વરી (૨૦૦૦)
પ્રથમ મહિલા મરણોતર અશોકચક્ર  - કમલેશ કુમારી (૨૦૦૧)
પ્રથમ મહિલા શતરંજ ગ્રાન્ડ માસ્ટર વિજેતા  - વિજય લક્ષ્મી 
પ્રથમ મહિલા વાયુસેનામાં પાયલટ  - હરિતા કૌર દેઓલ 
પ્રથમ મહિલા મેયર(મુંબઈ)  - સુલોચના મોદી 
પ્રથમ મહિલા આઈ.એ.એસ. અન્ન  - જ્યોર્જ 
પ્રથમ મહિલા લોકસભાના સભ્ય રાધાજી  - સુબ્રમણ્યમ 
પ્રથમ મહિલા રાજ્યસભાના સભ્ય  – નરગીસ દત્ત 
પ્રથમ મહિલા રાજદુત વિજયા લક્ષ્મી  - પંડિત 
પ્રથમ મહિલા ઈજનેર  - લલિતા સુબ્બારાવ

પ્રથમ મહિલા ડોક્ટર  - આનંદી ગોપાલા, પશ્ચિમ બંગાળાના હતા.

 

કૃદરતના નવ રત્નો


હીરો – વ્રજ:          ધોળા રંગનુ રત્ન

માણેક – મણિક્ય:     રાતા રંગનું રત્ન

મોતી – મુક્તા:      પીળા રંગનું રત્ન

પાનું – પન્ના:        લીલા રંગનું રત્ન

પોખરાજ – ગોમેદા:    પીળા રંગનું રત્ન

લસણિયો – તપખિરિયા રંગનો એક મણિ

વૈદૂર્ય – આસમાની રંગનો એક મણિ

પરવાળુ – પ્રવાલ વિદ્રુમ:   ગુલાબી રંગનો રત્ન

નીલમ – લીલમ મસ્કલ:  નીલા રંગનું એક રત્ન

..............................................................................................

રાજા ભોજના દરબારના નવ રત્નો

મહાકવિ કાલિદાસ

વૈદરાજ ધન્વંતરી

ક્ષપણક

શંકુ

અમર

વેતાલ

ઘટર્ક્પર

વરાહમિહિર

વરુચિ

.....................................................................

અકબરના દરબારના નવ રત્નો

અબુફઝલ        ઇતિહાસકાર

ટોડરમલ         જમા બંધી નિષ્ણાત

માન સિંહ         સેનાધ્યક્ષ

ફૈજી                  કવિ

બદાઉની          લેખક

તાનસેન          ગાયક

દોપ્યાજી          મુલ્લા

મહેસદાસ        બિરબલ     હાજર જવાબી

હકીમ હમામ    વૈદરાજ

....................................................................

રણજીત સિંહના દરબારના નવ રત્નો


ફકીર અઝીઝુદીન -  વિદેશ પ્રધાન

હકીમ નુરુદ્દીન      -   શસ્ત્રા ગારના વડા

રાજા દીનાનાથ – નાણા પ્રધાન

ખુશાલ સિંહ – શાહી સરભરા અને સમારંભોના વડા નિયામક

ધ્યાન સિંહ – મુખ્ય પ્રધાન

મોહકમચન્દ – સર સેનાપતિ

હરિસિંહ નવલા  -     અશ્વદળના સેનાપતિ

દીવાન ચંદ – પાયદળના સેનાપતિ

રાજા હીરાસિંહ – અંગત સલાહકાર

  .......................................................

ગુજરાતના રાજપાલો

મહેંદી નવાઝ જંગ


૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫

નિત્યાનંદ કાનુગો


૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭ ૩

પી.એન.ભગવતી ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭

ડૉ.શ્રીમન્નારાયણ

૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩

પી.એન.ભગવતી ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩

કે.કે.વિશ્વનાથન


૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮

શ્રીમતી શારદા મુખર્જી


૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩

પ્રો.કે.એમ.ચાંડી


૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪

બી.કે.નહેરુ


૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬

આર.કે.ત્રિવેદી


૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦

મહિપાલસિંહ શાસ્ત્રી


૩-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦

ડૉ.સ્વરૂપસિંહ


૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫

નરેશચંદ્ર સક્સેના


૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬

કૃષ્ણપાલસિંહ


૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮

અંશુમનસિંહ


૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯

બાલક્રિશ્નન ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯

સુંદરસિંહ ભંડારી


૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩

કૈલાશપતિ મિશ્રા


૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪

ડૉ.બલરામ ઝાખડ ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪

નવલકિશોર શર્મા


૨૪-૭-૨૦૦૪ થી ૨૪-૭-૨૦૦૯

શ્રી એસ.સી જમીર


૨૪-૭-૨૦૦૯ થી ૨૬ – ૧૧ -  ૨૦૦૯

શ્રી મતી કમલાદેવી


૨૭- ૧૧ -  ૨૦૦૯ થી ચાલુ

 

 

ડૉ. જીવરાજ નારાયણ મહેતા


૧ મે, ૧૯૬૦ – ૩ માર્ચ, ૧૯૬૨

૩ માર્ચ, ૧૯૬૨ – ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩

શ્રી બળવંતરાય મહેતા


૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ – ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫

૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૩ – ૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫

શ્રી હિતેન્‍દ્ર કે. દેસાઇ


૨૦ સપ્ટેમ્બર, ૧૯૬૫ – ૩ એપ્રિલ, ૧૯૬૭

૩ એપ્રિલ, ૧૯૬૭ – ૬ એપ્રિલ, ૧૯૭૧

૭ એપ્રિલ, ૧૯૭૧ – ૧૨ મે, ૧૯૭૧ ૩

શ્રી ઘનશ્‍યામભાઇ સી. ઓઝા


૧૭ માર્ચ, ૧૯૭૨ – ૧૭ જુલાઇ, ૧૯૭૩

શ્રી ચીમનભાઇ જે. પટેલ


૧૮ જુલાઇ, ૧૯૭૩ – ૯ ફેબ્રુઆરી, ૧૯૭૪

૪ માર્ચ, ૧૯૯૦ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪

શ્રી બાબુભાઇ જે. પટેલ


૧૮ જુન, ૧૯૭૫ – ૧૨ માર્ચ, ૧૯૭

૧૧ એપ્રિલ, ૧૯૭૭ – ૧૭ ફેબ્રુઆરી, ૧૯૮૦

શ્રી માધવસિંહ એફ. સોલંકી


૭ જૂન, ૧૯૮૦ – ૧૦ માર્ચ, ૧૯૮૫

૧૧ માર્ચ, ૧૯૮૫ – ૬ જુલાઈ, ૧૯૮૫

૧૦ ડીસેમ્બર, ૧૯૮૯ – ૪ માર્ચ, ૧૯૯૦

શ્રી અમરસિંહ ચૌધરી


૬ જુલાઈ, ૧૯૮૫ – ૯ ડીસેમ્બર, ૧૯૮૯

શ્રી છબિલદાસ મહેતા


૧૭ ફેબ્રુઆરી, ૧૯૯૪ – ૧૪ માર્ચ, ૧૯૯૫

શ્રી કેશુભાઇ પટેલ


૧૪ માર્ચ, ૧૯૯૫ – ૨૧ ઓક્ટોબર, ૧૯૯૫

૪ માર્ચ, ૧૯૯૮ – ૬ ઓક્ટોબર, ૨૦૦૧

શ્રી સૂરેશચંદ્ર મહેતા


૨૧ ઓક્ટોબર, ૧૯૯૫ – ૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૬

શ્રી શંકરસિંહજી વાઘેલા


૨૩ ઓક્ટોબર, ૧૯૯૬ – ૨૭ ઓક્ટોબર, ૧૯૯૭


શ્રી દિલીપભાઇ પરીખ


૨૮ ઓક્ટોબર, ૧૯૯૭ – ૪ માર્ચ, ૧૯૯૮

શ્રી નરેન્‍દ્ર મોદી

૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ – ૨૪ ડિસેમ્બર, ૨૦૦૭   ૨૫ ડિસેમ્બર, ૨૦૦૭ – 

............................................................

ગુજરાતી ભાષાનો ઉદભવ

માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .
પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ
સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે
અહી ક્લિક કરો ==ભાષાની સફર =
ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,
**ગુર્જર અપભ્રંશ ***

ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે
***મધ્યકાલીન ગુજરાતી ***

ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .
***અર્વાચીન ગુજરાતી ***

સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .
ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું
==લેખક .પ્રો .ડો .બી એમ .રાજપૂત


......................................

તારીખ : આજની જ
પ્રતિ, તમોને જ

વિષય: જિંદગી અને તમે ! ,

હું, આજે તમને બે શબ્દો લખવા માંગું છું। ધ્યાનથી વાંચજો। આજે તમારી જિંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવાનો છું। એટલું યાદ રાખજો કે મારે તમારી મદદથી કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી। હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી। તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે। 


[૧] જિંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું.. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા, મારા સમયે, તમારા સમયે નહીં! [૨] તમે ધંધાની કોઈ આફતમાં ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ નથી.
[૩] ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
[૪] તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.
[૫] તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય..
[૬] ક્યારેક વાહન વગર ચાલવાનું થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
[૭] તમારી જિંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર ક્યારેક આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ આંબી ગયું હોય.
[૮] કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી !
[૯] કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય. અને છેલ્લે…
હું તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ કરીશ જ, વિશ્વાસ રાખજો પણ ત્યાં સુધીમાં જો તમને આ બાબતો ગમી હોય તો મારા મિત્રોને સગાંવહાલાંને મોકલજો.

...............................


* ’કેમ છો ” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ.
* શ્રેષ્ઠ પુસ્ષકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય.
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં.
* બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો.
કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો.
* મહેણું ક્યારેય ન મારો.
* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં,શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય.

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે, ઉધારી કરવા માટે નહીં.
* રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખવો.
* નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો.
*દરેક વ્યકિતને બીજી તક આપો,ત્રીજી નહીં.
* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું.
* જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં.
* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો.
* કુટુંબના સભ્યો સાથે પિકનિક પર જવાનું ગોઠવો.
* ગોસિપ,નિંદા,જુગાર અને કોઇના પગારની ચર્ચાથી દૂર રહો.
* જિંદગીમાં તમોને હંમેશા ન્યાય મળશે જ એવું માનીને ચાલવું નહીં.
* લોકોને તમારી સમસ્યાઓમાં રસ નથી હોતો એટલું યાદ રાખો.
* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો.
* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો.
* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો.
* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો.
* શબ્દો વાપરાતી વખતે કાળજી રાખો.
* બાળકોના સ્કૂલના કાર્યક્ર્મમા અવશ્ય હાજરી આપો.
* બીજાની સુધ્ધિનો યશ તમે લઇ લેશો નહીં.
* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો.
* તમારી ઓફિસે કે ધરે કોઇ આવે તો એને ઊભા થઇ આવકારો.
* મોટી સમસ્યાઓથી દૂર ભાગો નહીં, મોટી તક એમાં જ હોઇ શકે છે.
*ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો.
* બચત કરવાની શિસ્ત પાળો.

* ઉત્સાહી અને વિધેયાત્મક વિચારો ધરાવતી વ્યકિત બનવાનો પ્રયત્ન કરો.યાદ રાખો કે દરેક વ્યકિતને તેની સારી બાજુ સાંભળવી ગમે છે.
* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેમેને ઉષ્માપૂણ ભેટવાનું ભૂલશો નહીં.
* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો.
* કોઇને બોલાવવા ચપટી વગાડવી નહીં.
* ઊંચી કિંમતવાળી વસ્તુઓની ગુણવત્તા પણ ઊંચી જ હશે એમ માની લેવું નહીં.
* ધર પોષાય એટલી કિંમતનું જ લેવું.
* સંગીતનું એકાદ વાજિંત્ર વગાડતા આવડવું જ જોઇએ
*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો….!!!


સુખમાં સુખી થવુ હોય તો દુઃખને માણતા સીખો,
જો ખબર ના હોય દુઃખ સુ તો સુખની મજા શુ?

પંતગિયુ કયારેય તેની પાંખોના રંગોની સરખામણી
બીજા પંતગિયાના રંગો સાથે કરતું હશે ?

મેઘ ધનુષ્ય ના સાતેય રંગો ને
એક બીજા ની ઈર્ષા થતી હશે ?
માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે
એની સરખામણી કરતી હશે ?
આંબો કયારેય બાજુના આંબા ને જોઈને એવું વિચારતો હશે
કે એ આંબા માં કેરી કેમ વધુ છે !
હા ,એટલી ખબર છે કે માણસ કાયમ પોતાની સરખામણી
બીજા સાથે કરતો ફરે છે !!!
એકવખત આપને દઈ દીધેલું દિલ, એ હજુયે યાદ છે મને..,
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, એ હજુયે યાદ છે મને..!
હતા તારા ચહેરા પરે બે ખિલ, એ હજુયે યાદ છે મને..,
ને લગાવતી હતી મારા પૈસે ક્લેરેસીલ, એ હજુયે યાદ છે મને..!
ને સાયકલ થી સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ, હજુયે યાદ છે મને..,
ને પછીથી સાંપડી હતી સેન્ડલોની હીલ, એ હજુયે યાદ છે મને..!
માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં, હું ને તું..,
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ, એ હજુયે યાદ છે મને..!
ને મીલવવી હતી આખથી આખડી મારે, એ હજુયે યાદ છે મને..,
ને બાંધી તે મારા હાથે રાખડી, એ હજુયે યાદ છે મને..!!
સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ.
જીવન માં નારીયેલ ના ઉંચા ઝાડ જેવુ બનવા કરતા
જીવન માં બામ્બુ ના ઝાડ જેવા બનજો
કારણ કે
જ્યારે વાવાઝોડુ આવે છે ત્યારે નારીયેલ નુ ઝાડ જડમુળ થી ફેકાય જાય છે…!!
પણ બામ્બુ વાવાઝોડુ આવે ત્યારે પવન ની દિશા માં પોતાને વાળે છે
અને
જ્યારે પવન ઓછો થાય છે ત્યારે પાછુ પોતાના સ્થાન પર આવે છે..!!
. જીવન એક વસ્ત્ર સમાન છે. તેને દુ:ખનાં પાણીમાં ન ડુબાડો, વજનદાર થઇ જશે. આધ્યાત્મિક સુખની હવામાં સૂકવો, જેથી એ હલકું થઇ જશે..!!
. શું સમય આપણી પ્રતીક્ષા કરે છે? જો ના તો આપણે સમયની ખોટી પ્રતીક્ષા કેમ કરીએ? સારાં કામ યોગ્ય સમયે શરૂ કરો. મોડું ન કરો..!!
. તમારી દુ:ખદ સ્થિતિ ભલે કોઇને હાસ્ય = સુખ આપી જાય, પરંતુ ધ્યાન રાખો તમારું હાસ્ય કોઇને દુ:ખ ન આપે, નહીંતર સજા મળશે. સાવધાન રહો..!!
. જીવનમાં ઘણું બધું મેળવવાનો મોકો તમને ભવિષ્યમાં મળશે, પરંતુ જે સમય તમે ગુમાવી દીધો તેને મેળવવાનો મોકો નહીં મળે. સમયને ના વેડફશો..!!
. સમુદ્રની લહેરો આપણને એટલા માટે પ્રેરણા નથી આપતી કે તે પડે છે, ઊઠે છે બલકે એટલા માટે કે તે પછડાઇને દર વખતે ઊઠવાની કોશિશ કરે છે…!!
૧ . દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!
૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.
૩. દરરોજ ૭ કલાક ઊંધો.
૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં .
૫. નવી રમતો શિખો/રમો.
૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.
૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો .
૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ .
૯. જાગતાં સપનાં જુઓ.
૧૦. પ્લાન્ટ ( ફેકટરી )માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ ( છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.
૧૧. પુષ્કળ પાણી પીઓ.
૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.
૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.
૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ /પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો .
૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!
૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.
૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી .
૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.
૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્
૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે એવા વિચાર છોડો.
૨૧. ભગવાન સૌનું ભલું કરશે.
૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે, બદલાશે જરૂર.
૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા મિત્રો તમારી સંભાળ રાખશે, માટે મિત્રોના સંપર્કમાં રહો.
૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.
૨૫. ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.
૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.
૨૭. ગમે તેવો ખરાબ મૂડ હોય, ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.
૨૮. દરરોજ સવારે ઊઠીને ભગવાનનો આભાર માનો.
૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને સગા વ્હાલાઓને પણ જણાવો.
નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા.!
‘સેલ-ફોન’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા.!
ટેક્નોલોજીતો ભઇ વઘી રહીજો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું?
તો બીન્દાસ્સ થી કે જો કે જે ગુમાવ્યું તે મારી ભૂલો છે,
ને જે મળ્યું છે તે ઈશ્વર નો આશીર્વાદ છે..!!
છે જુઓ ચારે કોર,
ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા.!
સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,
‘ઇમેલ’ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા..!
ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે.,
‘સ્પેસ’માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા.!
પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ ?
વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા.!
સમયની મારામારી વઘી ગઈ છે ઘેર ઘેર આજે તો,
ટોઇલેટ માં ‘સેલ્યુલર’પર વાતો પણ કરતા કરી દીઘા.!
‘લેક્સસ’ ને ‘મરસીડીઝ’ માં આમતેમ ફરો છો તમે
અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?
કથાઓ કરાવીને પણ વ્યથાઓ કોઈની ઘટી નથી ,
ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?
હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો,
ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા..!!
સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ચમન’ હવે ?
‘ઇલેકટ્રિક’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા..!!!
જો કોઈ પૂછે કે ઝીંદગી માં શું મળ્યું ને શું ગુમાવ્યું?
તો બીન્દાસ્સ થી કે જો કે જે ગુમાવ્યું તે મારી ભૂલો છે,
ને જે મળ્યું છે તે ઈશ્વર નો આશીર્વાદ છે..!!
...................................


સાહિત્યકારોનાં ઉપનામ

અનંતરાય પરમાનંદ ઠક્કર : શાહબાઝ
અનંતરાય રાવળ : શૌનક
અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી : અઝીઝ કાદરી
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા : ગની દહીંવાલા
અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ : સાગર નવસારવી
અબ્બાસ અબ્દુલઅલી વાસી : મરીઝ
અમૃતલાલ ભટ્ટ : ઘાયલ
અરદેશર ખબરદાર : અદલ, મોટાલાલ
અરદેશર બમનજી ફરામરોજ : બિરબલ
અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ : ધૂની માંડલિયા
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ : જલનમાતરી
અલીખાન ઉસ્માનખાન બલૂચ : શૂન્ય પાલનપુરી
અંબાલાલ હાલચંદ ભાવસાર : ડાયર
અંબુભાઈ પટેલ : સ્નેહી
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ : શંકર
ઈન્દુલાલ ગાંધી : પિનાકપાણિ
ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ : બેકાર
ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી : રુસ્વા મઝલૂમી
ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી : કિસ્મત કુરેશી
ઉમાશંકર જેઠાલાલ જોષી : વાસુકિ, શ્રવણ
કનૈયાલાલ અ. ભોજક : સત્યાલંકાર
કનૈયાલાલ મુનશી : ઘનશ્યામ
કરસનદાસ ભીખાભાઈ લુહાર : નિરંકુશ
કરસનદાસ માણેક : વૈશંપાયન
કંચનલાલ મહેતા : મલયાનિલ
કાન્તિલાલ મો. પટેલ : પ્રસન્નકાન્તિ
કાલોસ જોસે વાલેસ : ફાધર વાલેસ
કિશનસિંહ ચાવડા : જિપ્સી
કે.કા.શાસ્ત્રી : કાઠિયાવાડી, વિદુર
કેશવ હર્ષદ ધ્રુવ : વનમાળી
કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી : શનિ
ખલીલ ઈસ્માઈલ મકરાણી : ખલીલ ધનતેજવી
ગિજુભાઈ બધેકા : મૂછાળી મા, વિનોદી
ગુલાબદાસ બ્રોકર : કથક
ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મન્સૂરી : સુમન યશરાજ
ગોવિંદ રામજી અરજણ : બકુલેશ
ગૌરીપ્રસાદ ઝાલા : ઉપેન્દ્ર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી : ધૂમકેતુ
ચંદુલાલ મણીલાલ દેસાઈ : વસંત વિનોદી
ચંદુલાલ શંકરલાલ ઓઝા : ચંદુ મહેસાનવી
ચંદ્રકાન્ત રેવાશંકર જોષી : પ્રસૂન
ચંદ્રકાન્ત શેઠ : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
ચંદ્રવદન બૂચ : સુકાની
ચંદ્રવદન મહેતા : ચાંદામામા
ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ : શશિશિવમ્
ચંપકલાલ હી. ગાંધી : સુહાસી
ચાંપશી વિ. ઉદ્દેશી : ચંદ્રાપીડ
ચિનુ મોદી : ઈર્શાદ
ચિનુભાઈ પટવા : ફિલસૂફ
ચીમનલાલ ગાંધી : વિવિત્સુ
ચુનિલાલ વર્ધમાન શાહ : સાહિત્યપ્રિય
ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ : દ્યુમાન્
ચુનીલાલ આશારામ ભગત : પૂ.મોટા
છોટાલાલ માસ્તર : વિશ્વવંદ્ય
જગન્નાથ દા. ત્રિપાઠી : સાગર
જન્મશંકર મહાશંકર બૂચ : લલિત
જમનાદાસ મોરારજી સંપત : જામન
જમિયતરામ કૃપારામ પંડયા : જિગર
જયશંકર ભોજક : સુંદરી
જયંતિ પટેલ : રંગલો
જયંતિલાલ દવે : વિશ્વરથ
જયંતીલાલ રતિલાલ ગોહેલ : માય ડિયર જયુ
જયોતીન્દ્ર દવે : અવળવણિયા
જિતુભાઈ પ્ર. મહેતા : દાલચીવડા
જીવણરામ લક્ષ્મીરામ દવે : જટિલ
જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર : પથિક પરમાર
ઝીણાભાઈ રતનજી દેસાઈ : સ્નેહરશ્મિ
ડાહ્યાભાઈ પી. દેરાસરી : બુલબુલ
ડાહ્યાલાલ દોલતરામ બારોટ : સારંગ બારોટ
તારક મહેતા : ઈન્દુ
ત્રિભુવન ભટ્ટ : મસ્ત કવિ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર : સુંદરમ્
દાનભાઈ દેશાભાઈ વાઘેલા : દાન વાઘેલા
દામોદર કે. ભટ્ટ : સુધાંશુ
દિનકર છોટાલાલ દેસાઈ : વિશ્વબંધુ
દિનકરરાય કેશવલાલ વૈદ્ય : મીનપિયાસી
દેવેન્દ્ર ઓઝા : વનમાળી વાંકો
ધનવંત ઓઝા : અકિંચન
ધનશંકર ત્રિપાઠી : અઝીઝ
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર : મધુરમ્
ધીરુભાઈ ઠાકર : સવ્યસાચી
નગીનદાસ પારેખ : ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
નટવરલાલ પંડયા : ઉશનસ્
નટુભાઈ ર. ઠક્કર : કલ્યાણયાત્રી, યાત્રિક
નરસિંહરાવ દિવેટિયા : જ્ઞાનબાલ
નવનીત મદ્રાસી : પલાશ
નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી : નસીર ઈસ્માઈલી
નૃસિંહપ્રસાદ ભટ્ટ : નાનાભાઈ
ન્હાનાલાલ કવિ : પ્રેમભક્તિ
પરમાનંદ મણીશંકર ભટ્ટ : ત્રાપજકર
પીતાંબર પટેલ : સૌજન્ય
પ્રફુલ્લ ન. દવે : ઈવા ડેવ
પ્રહલાદસિંહજી જો. ગોહિલ : રાજહંસ
પ્રાણજીવન પાઠક : આરણ્યક
પ્રિયકાન્ત પરીખ : કલાનિધિ
પ્રેમાનંદ સ્વામી : પ્રેમસખી
ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી : આદિલ મન્સૂરી
બકુલ ત્રિપાઠી : ઠોઠ નિશાળિયો
બચુભાઈ રાવત : શ્યામસુંદર યાદવ
બટુકભાઈ ડા. દલીચા : સ્વયંભૂ
બરકતઅલી ગુલામઅલી વીરાણી : બેફામ
બળવંતરાય ઠાકોર : સેહેની
બંસીધર શુકલ : ચિત્રગુપ્ત
બંસીલાલ વર્મા : ચકોર
બાબુભાઈ અંબાલાલ પટેલ : બાબુ દાવલપરા
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર : કાકાસાહેબ
બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ : પુનિત
બાલાભાઈ વીરચંદ દેસાઈ : જયભિખ્ખુ
બાળાશંકર કંથારિયા : ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
ભગવતીકુમાર શર્મા : ભગીરથ, નિર્લેપ
ભાનુશંકર વ્યાસ : બાદરાયણ
ભોગીલાલ ગાંધી : ઉપવાસી
મગનભાઈ ભૂદરભાઈ પટેલ : પતીલ
મગનભાઈ લા. દેસાઈ : કોલક
મણિભાઈ મગનલાલ પટેલ : પરાજિત પટેલ
મણિશંકર ભટ્ટ : કાન્ત
મધુકાન્ત વાઘેલા : કલ્પિત
મધુસૂદન પારેખ : પ્રિયદર્શી
મધુસૂદન વલ્લભદાસ ઠક્કર : મધુરાય
મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ : મનહર દિલદાર
મનુ દવે : કાવ્યતીર્થ
મનુભાઈ ત્રિવેદી : સરોદ, ગાફિલ
મનુભાઈ રાજારામ પંચોલી : દર્શક
મહમુદમિયાં મહંમદ ઈમામ : આસીમ રાંદેરી
મહેન્દ્રકુમાર મો. દેસાઈ : કુમાર
મુકુંદ પી. શાહ : કુસુમેશ
મુકુંદરાય પટ્ટણી : પારાશર્ય
મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ : રાવણદેવ
મોહનભાઈ શંકરભાઈ પટેલ : કૃષ્ણ દ્વૈપાયન
મોહનલાલ તુ. મહેતા : સોપાન
મોહનલાલ પાર્વતીશંકર દવે : તરંગ
યશવંત શુકલ : સંસારશાસ્ત્રી, તરલ
યશવંત સવાઈલાલ પંડયા : હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
રઘુવીર ચૌધરી : લોકાયતસૂરિ
રણજિત પંડયા : કાશ્મલન
રણજિત મો. પટેલ : અનામી
રતિલાલ મૂળચંદ રૂપાવાળા : અનિલ
રમણભાઈ નીલકંઠ : મકરંદ
રમણભાઈ શં. ભટ્ટ : નારદ
રમણભારથી દેવભારથી ગોસ્વામી : દફન વીસનગરી
રમણિકલાલ દલાલ : પરિમલ
રમેશ ચાંપાનેરી : રસમંજન
રમેશ રતિલાલ દવે : તરુણપ્રભસૂરિ
રવિશંકર વ્યાસ : મહારાજ
રવીન્દ્ર સાકરલાલ ઠાકોર : સુકેતુ
રસિકલાલ પરીખ : મૂસિકાર
રાજેન્દ્ર કેશવલાલ શાહ : રામ વૃંદાવની
રાજેશ જયશંકર વ્યાસ : મિસ્કીન
રામચંદ્ર બબલદાસ પટેલ : સુક્રિત
રામનારાયણ વિશ્વનાથ પાઠક : દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ
લક્ષ્મીનારાયણ ર. વ્યાસ : સ્વપ્નસ્થ
લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર : ભિક્ષુ અખંડાનંદ
લાભશંકર ઠાકર : પુનર્વસુ
વજીરૂદ્દીન સઆદુદ્દીન : વ્રજ માતરી
વારિસહુસેન હુરોજાપીર અલવી : વારિસ અલવી
વિજયકુમાર વ. વાસુ : હિમાલય
વિજયરાય વૈદ્ય : વિનોદકાન્ત
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ : મધુકર
વેણીભાઈ પુરોહિત : આખાભગત
શંકરલાલ પંડયા : મણિકાન્ત
શંભુપ્રસાદ જોષીપુરા : કુસુમાકર
શામળદાસ મૂળદાસ સોલંકી : શ્યામસાધુ
શાંતિલાલ ના. શાહ : સત્યમ્
શાંતિલાલ મ. શાહ : પ્રશાંત
શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા : શેખાદમ
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ : કિરાત, વકીલ, રથિત શાહ, અરવિંદ મુનશી, તુષાર પટેલ
સુંદરજી બેટાઈ : દ્વૈપાયન, મિત્રાવરુણૌ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ : કલાપી
સૈફુદ્દીન ખારાવાલા : સૈફ પાલનપુરી
હરજી લવજી દામાણી : શયદા
હરિનારાયણ આચાર્ય : વનેચર
હરિપ્રસાદ ગો. ભટ્ટ : મસ્ત ફકીર
હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ : નિમિત્તમાત્ર
હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ : હરીશ વટાવવાળા
હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા : સોલિડ મહેતા
હર્ષદ મણિલાલ ત્રિવેદી : પ્રાસન્નેય
હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ : શૂન્યમ્
હિંમતલાલ મ. પટેલ : શિવમ્ સુંદરમ્
હિંમતલાલ રામચંદ્ર દવે : સ્વામી આનંદ

........................................

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા…
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો…

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે…

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો…



..........................................................................................

સવાર ના ફુલો ખિલી ગયા,
                                  પંખીઓ સફર પર નિકળી ગયા,
સુરજ ના આવતા જ તારા છુપાઈ ગયા,
                                   શુ આપ મીઠ્ઠી નિંદરમાંથી જાગી ગયા…?

    ..................................................................

    દિવાળી

    દિપ+અવલી સંધિ પરથી દિપાવલી શબ્દ બન્યો છે. દીપ એટલે દિવો અને આવલી એટલે હારમાળા.દીપોની હારમાળા એટલે દિપાવલી.ભારતમાં દિવાળી ખુબ જ જોરશોર અને ધૂમધામ સાથે ઉજવવામાં આવે છે.દિવાળીને પર્વોનો રાજા પણ કહેવામાં આવે છે.વાઘબારસથી લઈને ભાઈબીજ સુધી તહેવારોની આ પ્રક્રિયા ચાલુ રહે  

    કેમ ઉજવાય છે દિવાળી?

    કહેવાય છે કે દિવાળીનાં દિવસે જ ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથેચૌદ વર્ષનો વનવાસ ભોગવી અયોધ્યા પાછા આવ્યા હતા.તેનો આનંદ અયોધ્યાવાસીઓમાં સમાતો નહોતો.આગમનની તૈયારીનાં ભાગરૂપે અમાસની અંધારી રાત્રે ઘીના દિવા પ્રગટાવી પ્રજાએઆવકાર આપ્યો હતો.દીવા સુશોભિત થતા જ જાણે અમાસની રાત પૂનમની જેમ રોશનીથી ઝગમગી ઉઠીહતી.

    શું છે દિવાળીનું આધ્યાત્મિક મહત્વ?

    આ માટે અલગ અલગ કથાઓ અને દંતકથાઓ છે.કહેવાય છે કે રામ ભગવાન રાવણનો વધ કરી અયોધ્યા આવ્યા હતા જેની ખુશીમાંરામભક્તોએ દિવાળી ઉજવી હતી.કૃષ્ણભક્તિમાં લીન ભક્તો માને છે કે કાળીચૌદશ દિવસે શ્રીકૃષ્ણ ભગવાને નરકાસુરનોવધ કર્યો હતો. આ દાનવનાં ત્રાસમાંથી મુક્તિ મળતાં બીજા દિવસે લોકોએ ઘીના દીવાપ્રગટાવીને દિવાળી મનાવી હતી.તો એક કથા અનુસાર સમુદ્રમંથનમાંથી લક્ષ્મી અને ધન્વંતરિ પ્રગટ થયાં હતાં. તેનાસંદર્ભે પણ લક્ષ્મીપૂજન કરીને સમૃદ્ધ જીવનની કામના કરવામાં આવે છે. એક કથા અનુસાર કાળીચૌદશના દિવસે શ્રીકૃષ્ણ ભગવાને વ્રજવાસીઓને કુદરતીઆફતથી બચાવવા માટે પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઊંચક્યો હતો,તેથી વ્રજવાસીઓ દિવાળીના દિવસે માટી અને ગાયના છાણનો ગોવર્ધન પર્વત બનાવીતેની પૂજા કરે છે, સાથે સાથે આજના દિવસે તેઓ ગાય, બળદને સારી રીતે શણગારે છેઅને તેની પૂજા કરે છે.
    દિવાળી અને પરંપરા

    દિવાળીના પર્વ સાથે ચોપડા પૂજન કરવાની પણ બહુ જૂની પરંપરા છે. વેપારીઓઆજના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા ચોપડા ખરીદે છે.દિવાળીના દિવસે વહેલી સવારે અને સાંજે ઘરને દીવાઓથી શણગારવામાં આવે છે.ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે તેવી કામના સાથે લક્ષ્મીજીનું ષોડશોપચારે પૂજન કરવામાંઆવે છે. તદુપરાંત ઘરના આંગણામાં રંગોળી પૂરવાની પણ બહુ જૂની પ્રથા છે.

    ...........................................................................


    ટેપરેકોર્ડરઃ-

    પ્રાચીન સમયમાં ગુજરાતી જેવા વિષયમાં કવિતા મૌખિક ભણાવવામાં આવતી પરંતુ આમાં શિક્ષકોની મર્યાદાને કારણે બાળકોને આમાં રૂચિ લાગતી ન હતી. પરંતુ જો કવિતાને રાગ, લય, તાલ અને સંગીતના સાધનો સાથે સંભળાવવામાં આવે તો બાળકોને કઇંક અલગજ અનૂભૂતિ થશે. સામાન્‍ય રીતે શિક્ષક આ સાધનોનો ઉપયોગ વર્ગખંડમાં કરી શકે છે.
    ફાયદાઃ-
    · એક જ કેસેટ ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
    · શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ખૂબજ ઉયોગી બને છે.
    · ભૂતકાળમાં રેકોર્ડ થયેલા સારા વકતવ્‍ય(સ્‍પીચ)ને બાળકોસમક્ષ રજૂ કરી પ્રેરણા પૂરી પાડી શકાય છે.
    · બાળક પોતાની સ્‍પીચ રેકોર્ડ કરીને ઉચ્‍ચારણ અંગેની જાણ કરી શકાય છે.
    · દ્ઢીકરણ અને પુનરાવર્તનનો અવકાશ રહે છે. સરળતાથી અને ઓછા ખર્ચે વસાવી શકાય છે.



    ટેલીવીઝનઃ-

    વિશ્‍વના લગભગ બધા જ દેશોમાં શિક્ષણના એક અસરકારક સાધન તરીકે ટેલીવિઝનની ઉપયોગિતાને માન્‍યતા મળેલી જોવા મળે છે. શિક્ષણમાં તેનો વ્‍યાપક ઉપયોગ કરીને અધ્‍યેતા પક્ષે અસરકારકતા જોવા મળે છે. આ એવું દ્શ્‍યશ્રાવ્‍ય ઉપકરણ છે જેના દ્વારા બાળકમાં અનુભવ અને જ્ઞાન મેળવવની ક્ષમતા વિકસે છે.

    ફાયદા
    · આ ઉપકરણ વડે વર્ગને જીવંત રાખી શકાય છે.
    · આ આ ઉપકરણ દ્વારા GIET અને BISAG દ્વારા પાઠ નિદર્શન અને શૈક્ષણિક પ્રવુત્તિઓનું સમયાંતરે પ્રદર્શન બતાવી શકાય છે.
    · ભણતર આનંદમય, પ્રવૃત્તિમય અને ભાર વગરનું બને છે.
    · શિક્ષણની યાત્રા આનંદની યાત્ર બને છે.
    · સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં ઐતિહાસિક સ્‍થળોનું નિદર્શન વર્ગખંડમાં બેઠા- બેઠા કરી શકે છે.
    · વર્ગશિક્ષણ કરતાં ટેલિવિઝન શિક્ષણ હેઠળના વિધાર્થીઓ વધુ પ્રસન્‍ન, પ્રફુલ્‍લ રહી શિક્ષણ મેળવે છે. જે ચિરદાયી નીવડે છે.
    · આમ ટેલીવિઝન શિક્ષણની ફળશ્રુતિ પ્રણાલીગત શિક્ષણ કરતાં વધુ ફળદાયી નીવડી શકે છે.

    મોબાઇલઃ-

    આજના યુગને મોબાઇલ યુગ કહીએ તો પણ ખોટું નથી. મોબાઇલ એ એક ઇલેકટ્રોનિક ઉપકરણ છે જે દરેક જગ્‍યાએ સરળતાથી ઉપલબ્‍ધ હોય છે.

    ”No one Can live without Mobile”

    આજના શૈક્ષણિક વાતાવરણમાં મોબાઇલ ડિવાઇસએ બાધારૂપ નીવડે છે પરંતુ જો તેનો યોગ્‍ય અને શિસ્‍તપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણકાર્યનું એક શૈક્ષણિક ઉપકરણ બની શકે છે.





    મોબાઇલનો શિક્ષણમાં ઉપયોગઃ-

    · મોબાઇલના ઉપયોગ દ્વારા જોડકણા, બાળગીત, કવિતા, પ્રાર્થના વગેરે બાળકો સમક્ષ રજૂ કરી શકાય છે.
    · મોબાઇલમાં રેકોર્ડિંગ સુવિધા હોવાથી શિક્ષક તેનો વર્ગમાં યોગ્‍ય વિષય અંતર્ગત ઉપયોગ કી શકે છે.
    · સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં શિક્ષક સમયરેખા, વૈશ્‍વીક સમયની માહિતી વર્ગ સમક્ષ મોબાઇલ દ્વારા રજૂ કરી શકાય છે.
    · મોબાઇલના ઉપયોગ દ્વારા શાળામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમો, વર્ગના કાર્યક્રમો, પ્રવાસ પર્યટન કે જરૂર જણાય ત્‍યાં ફોટોગ્રાફસ, વિડીઓ રેકોર્ડિંગ કરી શકાય છે.
    · મેમરી કાર્ડ એ મોબાઇલમાં વપરાતું Storage Device છે જેની સંગ્રહ ક્ષમતા 16GB સુધીની છે.

    પેન ડ્રાઇવ

    માહિતીને સંગ્રહ કરવા અને એક કોમ્‍પ્‍યુટરમાંથી અન્‍ય કોમ્‍પ્‍યુટરમાં માહિતી આપ-લે કરવા વપરાતું સરળ સાધન એટલે પેન ડ્રાઇવ.
    પેન ડ્રાઇવની રચના પેન જેવી છે. જે આપણા પોકેટમાં સરળતાથી રાખી શકાય છે. પેન ડ્રાઇવ એ સ્‍ટોરેજ ડિવાઇસ છે જેમાં સરળતાથી માહિતીનો સંગ્રહ કરી શકાય છે. હાલ બજારમાં પેન ડ્રાઇવ4GB,8GB,16GB,32GB ની ઉપલબ્‍ધ છે.
    પેન ડ્રાઇવની શોધ- તોશીબા કંપની(જાપાન)
    જેમાં પેન ડ્રાઇવનો ઉપયોગ શિક્ષક અનેક રીતે કરી શકે છે. પેન ડ્રાઇવ ઉપયોગમાં લેતી વખતે વાયરસની આપ-લે ન થાય તેની ખાસ કાળજી રાખવી.

    પેન ડ્રાઇવનો શાળામાં ઉપયોગઃ-

    · પેન ડ્રાઇવનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા માટે વાપરી શકાય.
    · પેન ડ્રાઇવમાં ઇન્‍ટરનેટ પરથી ડાઉનલોડ કરેલી ચિત્રો, Video Clips, Audio Clips વગેરે જેવી માહિતી વર્ગખંડમાં રજૂ કરીને તેમના જ્ઞાનને અપડેટ કરી શકાય છે. માત્ર પુસ્‍તકિયું જ્ઞાન સિમિત ન બની શકાય છે.
    · પેન ડ્રાઇવમાં શાળાના સાંસ્‍કુતિક કાર્યક્રમનો, ફોટોગ્રાફસ, વિડિયો રેકોર્ડિંગ વગેરે સંગ્રહ કરીને ભવિષ્‍યમાં બીજા વિધાર્થીઓ સમક્ષ નિદર્શન કરી શકાય છે.
    · પેન ડ્રાઇવનો ઉપયોગ સીડી, ડીવીડી કરતાં સરળ રીતે થઇ શકે છે.

    You tube downloader

    You tube downloader એક પ્રકારની Application છે જેના દ્વારા You tube પરના દરેક વિડિયોને કોઇ પણ ફોર્મેટ(3GP, MP3,MP-4,WMP FLV) ડ) ડાઉનલોડ કરી શકો છો.
    ઇન્‍ટરનેટ પરથી Video downloaderને અનુલક્ષીને અનેક Applicationઉપલબ્‍ધ છે. દા.ત. keepvide, vdowloader

    CD/DVD

    આજના ટેકનોલોજીના યુગમાં માહિતીનો સંગ્રહ કરવો જરૂરી બની ગયો છે ત્‍યારે શિક્ષણમાં પણ માહિતીનો સંગ્રહ કરવા CD/DVD જેવા ઉપકરણો અનિવાર્ય બની ગયા છે. જેનો ઉપયોગ વર્ગમાં યોગ્‍ય સમયે ચોકકસ હેતુ સિધ્‍ધ કરવા વપરાય છે.
    CD:- COMPACT DISK

    DVD:- DIGITAL VERSATILE DISK

    CD/DVDનો શિક્ષણમાં ઉપયોગઃ-
    · CDનો ઉપયોગ માહિતીનો સંગ્રહ કરવા થાય છે.
    · CDની માહિતી ફકત વાંચી શકાય પણ તેના પર ફરી લખી ન શકાય.
    · CDનો ઉપયોગ રમતો, ચલચિત્રો, એનિમેશન વગેરેના પ્રકાશનમાં પણ કરી શકાય.
    · CDની સંગ્રહ ક્ષમતા 700GB ની હોય છે.
    · CDની ઉપર આખા જ્ઞાનકોષને સંગ્રહ કરી શકાય છે.
    · જયારે DVDનો ઉપયોગ CDની જેમજ ઉપર જણાવ્‍યા પ્રમાણે થાય છે. પરંતુ તેની સંગ્રહ ક્ષમતા ઘણી ઉંચી છે.
    · DVDની સંગ્રહ ક્ષમતા 4.7GB હોય છે.
    · CD અને DVD બીજા ઉપકરણ કરતા સસ્‍તુ અને સરળતાથી હેરફાર કરી શકાય તેવું સાધન છે.
    પ્રિન્‍ટરઃ-
    સામાન્‍ય રીતે કોમ્‍પ્‍યુટરમાં માહિતીને feed કરીએ છીએ અને તેને છાપવા ઇચ્‍છીએ છીએ. માહિતીને છાપવા કે પ્રિન્‍ટ કરવા માટે કોમ્‍પ્‍યુટર સાથે જોડાયેલા એકમને પ્રિન્‍ટર કહે છે. હાલમાં વિવિધ પ્રકારના પ્રિન્‍ટરર્સ બજારમાં ઉપલબ્‍ધ છે. થોડા સમય પહેલા બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ પ્રિન્‍ટરર્સ હતા જયારે હાલમાં કલરીંગ પ્રિન્‍ટરર્સ ઉપલબ્‍ધ છે.જેવા કે લેસર પ્રિન્‍ટર, ઇન્‍કજેટ પ્રિન્‍ટર, ડોટ મેટરીક્ષ પ્રિન્‍ટર, લાઇન પ્રિનટર વગેરેનો સમાવેશ કરી શકાય છે. હાલ લેસર પ્રિન્‍ટર વધારે ઉપયોગી બને છે.

    સ્‍કેનરઃ-

    સ્‍કેનર એ ઇનપુટ સાધનોમાંનું એક ઇનપુટ સાધન છે. સ્‍કેનરનો ઉપયોગ કોઇપણ નાની માહિતીને સ્‍કેન કરી પડદા પર Magnify કરી પડલા પર પ્રદર્શીત કરી શકાય છે.
    આધુનિક સ્‍કેનર પ્રત્‍યેક ચોરસ ઇંચે 4800 ટપકાને જુદા-જુદા ડિજિટમાં ફેરવે છે. સંશોધકોએ હેન્‍ડ સ્‍કેનર પણ ઉપલબ્‍ધ કરાવી દીધા છે.
    E-Mail
    Internet નો લોકો ઉપયોગ સૌથી વધારે ઉપયોગ E-Mail કરવા માટે કરે છે.
    E-Mail એટલે Electronic Mail
    E-Mailના ઉપયોગથી સંદેશાની આપ-લે કરી શકાય છે. આ સંદેશા અત્‍યંત ઝડપી પહોંચી જાય છે. અને સંદેશો પહોચ્‍યો તેના સમાચાર પણ તરત જ આપણને મળી જાય છે.
    અત્‍યારે મોટા ભાગની સાઇટ E-Mail સર્વિસ મફત પૂરી પાડે છે.
    E-Mail દ્વારા લખાણ ઉપરાંત ચિત્ર અને voice પણ મોકલી શકાય છે. voice મોકલો ત્‍યારે તેને voice mail કહેવામાં આવે છે.
    E-Mail ની સગવડ મેળવવા મેળવવા માટે કોઇ ચોકકસ સાઇટ પર E-Mail Account ખોલાવવુ જરૂરી છે.
    E-Mail Account ખોલાવવા માટે g-mail,yahoo,hotmail જેવી સાઇટ પ્રચલિત છે.
    ત્‍યાર બાદ નવું E-Mail એકાઉન્‍ટ ખોલાવવા માટેનું એક ફોર્મonline જ ભરવાનું છે. આવો આપણે જાણીએ કે E-Mail Account કેવી રીતે ખોલાય.
    E-Mail Account ખોલવું:-
    · સૌપ્રથમ Internet પર કનેકટ થાઓ.
    · ત્‍યાર બાદ Internet Explorer પર ડબલ કલીક કરો.
    · નવી ખૂલતી સ્‍ક્રી પર Address bar માં તમે સાઇટનું નામ લખો.
    દા.ત. www.hotmail.com
    www.redifmail.com વગેરેમાંથી કોઇ એક.
    · તમે જે સાઇટનું નામ આપ્‍યું હશે તેનું HOME PAGE ખૂલશે. આ પેઇજ પર
    new user! Sign up now! તેની પર કલીક કરો.
    · હવે એક રજીસ્‍ટ્રેશન ફોર્મ આવશે તે ફોર્મ પુરેપુરૂ ભરી દો.
    · ફોર્મ ભરી લીધા બાદ નીચે summit પર કલીક કરો.
    · આમ તમે પસંદ કરેલી સાઇટ પર તમારૂ account બની ગયું.
    · હવે તમે પસંદ કરેલ user id અને password યાદ રાખો. તથા તમારી
    નોટબુકમાં નોંધી લો.
    · તમારે જયારે પણ E-Mail કરવો હોય ત્‍યારે તમે Internet Explorerપર
    કબલ કલીક કરો. ખુલતા સ્‍ક્રીન પર તમારી સાઇટનું Addressલખો.
    · સાઇટ ખુલી જાય એટલે sign name અથવા તો ID લખેલ હોય તે ખાનામાં
    તમારૂ ID લખો અને password ના ખાનામાં તમારો password લખો.
    · ત્‍યાર બાદ Enter આપો અથવા sign in પર કબલ કલીક કરો.
    · આમ કરતા તમે તમારી સાઇટના તમારા એકાઉન્‍ટમાં પ્રવેશ મેળવી શકશો.
    · તમારા Accountમાં તમારા પર જે Mail આવ્‍યા હશે તેની યાદી આપેલી
    હશે.
    · લાલ તીરની નિશાની વાળા E-mail નવા અથવા તો વાંચ્‍યાં વગરના છે
    · તમે તમારા E-mail વાંચી લો.
    · તમારે જે E-mail દૂર કરવા હોય તેની સામે આપેલા ચેકબોકસમાં કલીક
    કરો. Delete પર કલીક કરો. આમ દૂર કરવા માટે પસંદ કરેલા E-mail દૂર
    થશે.
    E-mail કેવી રીતે કરશો?
    · તમારા Accountમાં પ્રવેશ કરો.
    · ત્‍યારબાદ compose પર કલીક કરો.
    · આથી એક નવો વિન્‍ડો ખુલેલો જોવા મળશે.
    · નવા વિન્‍ડોમાં TO લખેલું છે તે ખાનામાં તમારે જેને E-mailમોકલવો છે
    · તેનું E-mail Address લખો.
    · દા.ત. shrinatan@rediffmail.com
    · cc અને Bcc નો ઉપયોગ તમે એક કરતાં વધું વ્‍યકિતને સમાન E-mail મોકલવા કરી શકો છો. જરૂર જણાય તો તે ખાનામાં અન્‍ય E-mail Address લખો અથવા ખાલી રહેવા દો.
    · subjectના ખાનામાં તમે તમારા E-mailનો subject લખો.
    · ઉપરોકત એડ્રેસના મુદ્દાઓની નીચે આપેલ બોકસમાં તમે તમારો મેસેજ ટાઇપ કરો.
    · હવે તમે લખેલા સંદશા બોક્ષની ઉપર અને નીચે બને બાજુ sendલખેલ છે તેમાંથી ગમે તે એક જગ્‍યાએ કલીક કરો.
    · માત્ર ચાર પાંચ સેકન્‍ડમાં તમારો E-mail તમે જણાવેલ સ્‍થળે પહોંચી જશે. અને તે મેલ સરનામે પહોંચ્‍યો છે તેના સમાચાર પણ તમારી સામે આવી જશે.
    · તમે કોઇ પણ ચિત્ર તેમજ તેની સાથેનું લખાણ કે voiceનો સંદેશોE-mail દ્વારા મોકલવા માંગતા હોય તો તે સંદેશો પહેલાં MS-WORD કે અન્‍ય પ્રોગ્રામમાં લખી લો. ત્‍યારબાદ તેને save કરો. તમે કયા નામ નીચે, કયા ફોલ્‍ડરમાં, કઇ ડ્રાઇવ પર સેવ કરેલ છે તે યાદ રાખો.
    · દા.ત. pankajsciencepicture લખેલ છે, તો આ તમારી ફાઇલનોpath થયો. જેમાં ડ્રાઇવ, pankaj નામનું ફોલ્‍ડર અને sciencepictureનામની ફાઇલ છે.
    · હવે તમે તમારૂ E-mail Account ઇન્‍ટરનેટ પર ખોલો. ત્‍યારબાદ જે સ્‍ક્રન ખૂલે તેમાં પ્રથમ ખાનામાં તમારી ફાઇલનો path લખો.
    · ત્‍યારબાદ Attach to massage પર કલીક કરો. અને અંતે Done પર કલીક કરો. આમ કરતાં તમારી ફાઇલ તમે આપેલ E-mail એડ્રેસ પર પહોંચી જશે.

    DRAFT:-
    · ડ્રાફટ મેઇલ એટલે જયારે E-mail કરતી વખતે E-mail ને સેવ કરવામાં આવે ત્‍યારે તે ડ્રાફટ મેઇલ બને છે.

    SPAM MAIL:-
    જયારે એક વ્‍યકિત અથવા કંપની બીજી વ્‍યકિતને બિનજરૂરી E-mail મોકલે છે તેને spamming કહે છે.
    સ્‍પામીંગની મદદથી મોકલવામાં આવતાં E-mail ને spam mail કહે છે. જે વ્‍યકિત કે કંપની બિનજરૂરી E-mail(spam) મોકલે છે તેને spammerકહે છે.
    સ્‍પામ મેઇલને મુખ્‍યત્‍વે મોકલવાનો ઉદે્શ ઘણીબધી વ્‍યકિત એક સાથે કંપનીની પ્રોડકટ જોઇ શકે અને જાહેરાત કે પ્રલોભન જોઇ વસ્‍તુ ખરીદી શકે અથવા પ્રોડકટની સર્વિસ માટે રજીસ્‍ટ્રેશન કરી શકે.
    કોઈને મેઈલ કરતા સમયે subjectમા મેઇલનો વિષય કે સંદર્ભ લખવો નહીતર મેઈલ સ્પામ થવાની પૂરી સંભાવના રહે છે.

    Internet

    ઇ.સ. 1969માં અમેરિકામાં ડિપાર્ટમેન્‍ટ ઓફ ડિફેન્‍સએ નેટવર્ક શરૂ કર્યુ અને તે ARPNET(ADVANCED RESEARCH PROJECTS ADMINISTRATION NETWORK) તરીકે ઓળખાયું. તેની શરૂઆતમાં એક કમ્‍પ્‍યટર કેલીફોરર્નિયા અને બાકીના ત્રણ Uthaમાં હતાં તેમાં સોફટવેર અને હાર્ડવેર ડિવાઇલ શેર થતા હતા. ત્‍યાની મિલિટરીએ યુનિવર્સિટીને નેટવર્ક સાથે જોડવાની રજા આપી અને જેના કારણે વિધાર્થીને જોડીને તેને લગતાં સોફટવેર ડેવલપ કરી શકે અને આમ ઇન્‍ટરનેટનો જન્‍મ થયો કે હાલની સદીનું એક અગત્‍યનું અંગ બની ગયું છે.
    ઇન્‍ટરનેટ એટલે શું?
    ઇન્‍ટરનેટ એ Inter-Inter connected અને Net-Network એ બે શબ્‍દોના સંયોજનથી બનેલ શબ્‍દ છે. આમ ઇન્‍ટરનેટ એટલે ઇન્‍ટર કનેકટ નેટવર્ક.
    Internet- Network of networks

    નેટવર્કઃ-
    બે અથવા બે કરયાં વધું Computerનું એવું જોડાણ કે જેમાં દરેકComputer એકબીજા સાથે માહિતીની આપલે કરી શકે અને તેને Computer Network કહી શકાય.
    નેટવર્કના પ્રકારઃ-
    LAN (LOCAL AREA NETWORK):- એકજ મકાન કે એકજ સંકુલમાં આવેલ Computerને જોડતું એવુ Network જેની માલિકી અને સંચાલન કોઇ એક વ્‍યકિત કે સંસ્‍થા દ્વારા થાય.
    દા.ત. શાળામાં Computer Labના Computerનું જોડાણ WAN(WIDE AREA NETWORK):-
    વાઇડ એરીયા નેટવર્ક એટલે “જુદા જુદા સંકુલમાં આવેલાComputerને જોડતું Network.
    દા.ત. બેંક,LIC, રેલ્‍વે રીજર્વેશન મોટી Main Officeનું sub office સાથેનું જોડાણ.

    WANના પ્રકારઃ-
    Internet

    Entranet

    આ ઉપરાંત બીજા અન્‍ય નેટવર્ક અર્થાત એક કમ્‍પ્‍યુટર સાથે અન્‍ય કમ્‍પ્‍યુટરનું જોડાણ માટે અહી જણાવેલ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે.

    (A) Wireless Local Area Network

    (B) Metropolitan Area Network

    (C) Storage Area Network

    (D) System Area Network

    ઇન્‍ટરનેટ માટે જરૂરી એવા સાધનોઃ-
    (૧) કોમ્‍પ્‍યુટર
    (ર) મોડેમ
    (૩) ટેલીફોન
    (૪) ISDN(Intrarated Services Digital Network)

    ઇન્‍ટરનેટ પર મળતી શૈક્ષણિક માહિતીઃ-
    ઇન્‍ટરનેટ પર જુદી જુદી શૈક્ષણિક પ્રકારની સાઇટ રહેલ હોય છે.Multi User site પરથી શૈક્ષણિક, રમતગમત, બિઝનેસ, સમાચાર, મનોરંજન વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.
    અમુક શૈક્ષણિક સાઇટ પરથી શૈક્ષણિક માહિતી, વ્‍યકિત વિશેષ, વસ્‍તુનો ઇતિહાસ, શૈક્ષણિક સંસ્‍થાઓ, શૈક્ષણિક કોર્સ, પધ્‍ધતિ વગેરે વિષે વિસ્‍તૃત માહિતી આંગળીના ટેરવે મેળવી શકાય છે.
    ઇન્‍ટરનેટનો એક અગત્‍યનો ઉપયોગ તેમની સાથે જોડાયેલ દુનિયાની લાઇબ્રેરીઓ છે. જેના દ્વારા તમે દુનિયાની કોઇપણ લાઇબ્રેરી સાથે ઇન્‍ટરનેટથી જોડાણ કરી શકો છો અને તેની પ્રિન્‍ટ કરી શકો છો. (આવી લાઇબ્રેરીઓમાંથી માહિતીઓ આદાન પ્રદાન કરવા અમુક રકમ ચૂકવવું પડે છે.
    ઇન્‍ટરનેટની મદદથી Educational Softwareની યાદી તેમની કિંમત તેના ડિલરના નામ સાથે ઉપરાંત E-Commerceની સાઇટ દ્વારા તમે તે ખરીદી શકો કે ઓર્ડર આપી શકો.

    Chat

    Chatting દ્વારા એક વ્‍યકિત દુનિયાના કોઇપણ ખૂણાના બીજા વ્‍યકિત સાથે સંદેશાની આપ-લે કરી શકે છે.
    આંતરરાષ્‍ટ્રીય કોલની સરખામણીમાં Chatting ઘણું સસ્‍તુ પડે છે.જયારે Chatting માટે બ્રાઉઝર ખોલો છો ત્‍યારે તેની વિન્‍ડોમાં એક બાજુ જે વ્‍યકિત રૂમમાં હોય એટલે જોડાયેલી હોય તેવી વ્‍યકિતના નામનું લિસ્‍ટ જોવા મળે છે.બાજુની સ્‍કીનમાં એક વ્‍યકિત બીજી વ્‍યકિતને સંબોધીને જે મેસેજ મોકલે છે તે જોવા મળે છે.
    ધારો કે A વ્‍યકિત B વ્‍યકિતને મેસેજ કે સંદેશો મોકલવા માંગતી હોય તો અહીં બંને વ્‍યકિત ઇન્‍ટરનેટ પર હોવી જોઇએ ઝયાં વ્‍યકિતના નામનું લિસ્‍ટ જોવા મળે છે.
    ત્‍યાં જે તે નામ ઉપર ડબલ કિલક કરવાથી એક વિન્‍ડો ઓપન જોવા મળે છે તેમાં જે સંદેશો લખવો હોય તે લખીને આપવા. તે સંદેશો જે તે વ્‍યકિતના Computer ઉપર લાલ અક્ષરમાં જોવા મળે છે. પરંતુ જો વ્‍યકિતનું નામ સિલેકટ કર્યા વગર સંદેશો મોકલવામાં આવે તો તે સંદેશો જેટલી પણ વ્‍યકિત જોડાયેલી હશે તેટલી બધીજ વ્‍યકિતના Computerઉપર જોવા મળશે.
    કોઇ લાગણી દર્શાવતો મેસેજ મોકલવો હોય તો જ વેબસાઇટ ઉપરથી Chatting કરતાં હોય ત્‍યાં ઇમેજ બટન જોવા મળે છે. તેમાં Thank you, Sorry, Happy જેવી લાગણીઓ દર્શાવતી ઇમેજ જોવા મળશે. મેસેજ બોકસમાં ઇમેજનું નામ લખી ok આપતા લાગણી એટલે કે ઇમેજ દર્શાવી મોકલી શકાય છે.ઇન્‍ટરનેટ ઉપર Chatting માટેની નીચેની જાણીતી વેબસાઇટ સવલત આપે છે.






    આ સિવાય ઘણી બધી વેબસાઇટો છે જે Chattingની સવલત પૂરી પાડે છે.

    Live Chat- Video Conference
    અગાઉ આપણે Chatની ચર્ચા કરી પરંતુ અહીં આપણે એકબીજીનો ચેહેરો જોઇ શકતા નથી તો તેના માટે Live Chat અને Video Conferenceઉપયોગમાં લઇ શકાય.
    વિડિયો કોન્‍ફરન્‍સનો ઉપયોગ શ્રાવ્‍ય, વિડિયો શ્રાવ્‍ય તેમજ કોમ્‍પ્‍યુટર ડેટા માટે થઇ શકે છે. કોમ્‍પ્‍યુટર વિડિયો કોન્‍ફરન્‍સ તેનો ઉપયોગ કરનાઓને એકબીજા સાથે માહિતીની આપ-લે કરવાની સગવડ પૂરી પાડે છે.
    આપણે ટી.વી. ઉપર વિડિયો કોન્‍ફરન્‍સનો કાર્યક્રમ જોઇએ છીએ તેમાં કોઇ એક સ્‍થળે કે છેડે વિષયનો તજજ્ઞ કે નિષ્‍ણાત હોય છે તેનું સંચાલન કરનાર વ્‍યકિત હોય છે, નિષ્‍ણાતો જે ચર્ચા કરે છે ,વિચારો રજૂ કરે છે તે સંબંધી બીજા કોઇ સ્‍થળે રહેતી એકત્રિત થથેલી વ્‍યકિત કે જૂથ મનમાં ઉદભવેલા પ્રશ્‍નો કે સમસ્‍યાઓ રજૂ કરી તજજ્ઞ પાસે માર્ગદર્શન, સમાધાન મેળવે છે.
    શિક્ષણક્ષેત્રમાં આ પ્રવિધિના ઉપયોગનો નવવિચાર આવકાર્ય બન્‍યો છે. કોઇ એક સ્‍થળે શૈક્ષણિક પાઠોનું વાર્તાલાપ કે ચર્ચાનું આયોજન કરવામાં આવે છે. બીજા છેડે શિક્ષકો કે વિધાર્થીઓ સમૂહ હોય છે. તેઓ નિદર્શન નિહાળે છે અને જે પ્રશ્‍નો ઉદભવે તે અંગે સમાધાન મેળવે છે.
    વિડિયો કોન્‍ફરન્‍સ કે લાઇવ ચેટ માટે હેડફોન, માઇક્રફોન, સ્‍પીકર, વિડિયો કેમેરાની જરૂર પડે છે.Computer ઉપર ડિવાઇસ એટેચ કરવામાં આવે છે.
    ત્‍યારબાદ windows ઓપન કરવામાં આવે છે.ઇન્‍ટરનેટ ઉપર કનેકશન થયા પછી જે તે વેબસાઇટ દ્વારા સામેની વ્‍યકિતના Computerએકબીજાને જોઇ શકે છે.
    ત્‍યાર બાદ માઇક્રોફોન- હેડફોનની સવલતથી લાઇવ વાતચીત કરી શકાય છે. ઇન્‍ટરનેટ ઉપર paltalk.com, ivist, yahoo.com, net to phoneજેવી વેબસાઇટ પરથી સવલત મળે છે.
    સરળતાથી મોબાઈલ પરથી ચેટિંગ કરવા માટે અત્યારે Whats app, facebook messenger, viber, skype વિગેરે ઉપલબ્ધ છે. મોબાઈલમા ઈન્ટરનેટ ઉપલબ્ધ હોવાથી આ બધા ચેટ એપ્સ દ્વારા સરળતાથી ફોટોગ્રાફ્સ, વિડીયોક્લિપ્સ, વોઇસ કે સંદેશાની આપ-લે સરળતાથી કરી શકાય છે.

    ................................................................



    કેરીના વિવિધ નામ :-




    1. સુંદરી
    2. લંગડો
    3. પાયરી
    4. નીલમ
    5. હાફુસ
    6. કાળો હાફુસ
    7. કેસર
    8. કાકડો
    9. બદામી હાફુસ
    10. શ્રાવણીયા
    11. માલદારી
    12. રેશમિયા
    13. કરેજીયા
    14. રાજાપુરી
    15. આકરો
    16. મધકપુરી
    17. તીતીયા
    18. તોતાપુરી
    19. સરદાર
    20. બારમાસી
    21. વલસાડી
    22. લીમડી
    23. સાકરીયા
    24. સિંદુરી
    ..............................

    BHAGAVAD GEETA

    અધ્યાય - 1 
    ..............................................
    અધ્યાય - 2
    ..............................................
    અધ્યાય - 3 
    ..............................................
    અધ્યાય - 4 
    ..............................................
    અધ્યાય - 5 
    ..............................................
    અધ્યાય - 6 
    ..............................................
    અધ્યાય - 7 
    ..............................................
    અધ્યાય - 8 
    ..............................................
    અધ્યાય - 9 
    ..............................................
    અધ્યાય - 10 
    ..............................................
    અધ્યાય - 11 
    ..............................................
    અધ્યાય -12 
    ..............................................
    અધ્યાય -13 
    ..............................................
    અધ્યાય - 14 
    ..............................................
    ભાગ - 1
    અધ્યાય - 15 
    ..............................................
    ભાગ - 1
    અધ્યાય - 16 
    ..............................................
    અધ્યાય - 17 
    ..............................................
    અધ્યાય - 18
    ..............................................
    ઉપસંહાર 
    ..............................................
    ભાગ - 1 
    ભાગ - 2 


    ............................


    3 comments: